Skip to main content

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી.

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Valsad :વલસાડની કોમર્સ કોલેજમાં ન્યુ સ્પોર્ટસ અંગે અધ્યાપકોનો રાજ્ય સ્તરીય સેમિનાર યોજાયો

  Valsad :વલસાડની કોમર્સ કોલેજમાં ન્યુ સ્પોર્ટસ અંગે અધ્યાપકોનો રાજ્ય સ્તરીય સેમિનાર યોજાયો 


કોલેજમાં ભણતરની સાથે સ્પોટર્સનું પણ વિશેષ મહત્વ હોવાથી યુવાનોની જરૂરીયાતને પહોંચી વળવા ખાતરી અપાઈ 

NEP-2020 પ્રમાણે સ્પોર્ટ્સમાં બદલાતા આયામો અંગે અધ્યાપકોને જાગૃત કરવા સેમિનારનું આયોજન કરાયુ 

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૩ જુલાઈ  

વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજના એક્ટીવીટી હોલમાં ‘‘INTRODUCTION OF NEW GAMES AND SPORTS AWARENESS AND INFORMATION’’ વિષય ઉપર રાજ્ય સ્તરીય ફીઝીકલ એજ્યુકેશનના અધ્યાપકોના સેમિનારનું આયોજન કરાયું હતું. 

વલસાડ નૂતન કેળવણી મંડળના સેક્રેટરી કિર્તીભાઈ દેસાઈએ સેમિનારનું ઉદ્દઘાટન કરતાં જણાવ્યું કે, સ્પોર્ટ્સનું મહત્વ યુવાનો માટે ઘણું છે. દરેક કોલેજના પ્રાધ્યાપકોએ યુવાનોને કોઈપણ જરૂરિયાત સ્પોર્ટ્સ માટે હોય તો મંડળને જણાવવા અનુરોધ કર્યો હતો જેથી મદદ કરી શકાય.  શાહ એન. એચ. કોમર્સ કોલેજના આચાર્ય ડૉ.ગિરીશકુમાર એન.રાણાએ સ્પોર્ટ્સમાં બદલાતા આયામોને લક્ષમાં રાખી સેમિનારનું આયોજન કર્યું હોવાનું જણાવી વધુમાં NEP-2020 પ્રમાણે સ્પોર્ટ્સમાં પણ બદલાવ કરવો રહ્યો અને ભારતીય રમતોને ઓલમ્પિક સુધી લઇ જવાનો પ્રયાસમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 'ખેલમહાકુંભ' યોજીને યુવાનોને આંતરરાષ્ટ્રીય લેવલ સુધી લઇ જવા પણ સ્પોર્ટ્સની અવેરનેસ અને તે બાબતની માહિતી પર ચર્ચા કરવા સેમિનારનું આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું. 

       


    આ સેમીનારમાં KEY NOTE SPEAKER તરીકે દિપકભાઇ પટેલે કરાટે વિશે, અમિત કલસારિયાએ ગ્રેપલિંગ વિશે, ડૉ.પ્રદીપકુમાર લેંકાએ બોક્સિંગ વિશે, પરેશ કોઠારીએ રોલ -બોલ વિશે, સંજય રાણાએ રોલર હોકી વિશે, પમીર શાહે ટેકવાન્ડો વિશે, ડૉ.ધનંજય યાદવ જુડો વિશે તથા મુકેશ પટેલ ટગ ઓફ વોર વિશે માહિતી આપી હતી. ઉદ્દઘાટન સંભારંભમાં જે.પી.શ્રોફ આર્ટસ કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ડૉ.સોનલબેન સરાવિયા ,શાહ કે.એમ.લો.કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ડૉ.નિકિતાબેન રાવલ પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્પોર્ટ્સના પ્રાધ્યાપક કેપ્ટન મુકેશભાઈ પટેલે કર્યું હતું. પ્રો. હેમાંગી શાહ, ડૉ.પારસ શેઠ અને પ્રો.દિવ્યાબેન ઢીમ્મરે કાર્યક્રમને સફળતાથી પાર પાડવા પરિશ્રમ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન પ્રો.દિવ્યાબેન ઢીમ્મરે કર્યું હતું.  

Comments

Popular posts from this blog

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.

  Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 15-07- 2024 અને 16-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં તમામ આચાર્યશ્રીની  દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. સરકારશ્રીની  નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની તમામ શાળાઓમા સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણમાં ગુણવત્તા, સ્માર્ટ વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પુટર લેબ, સાયન્સ લેબ, ગ્રીન શાળાઓ, હરિયાળી શાળા તેમજ જળ  જંગલ અને જમીનના સંવર્ધન બાબતે તથા શાળાની  ભૌતિક સુવિધાઓને અગ્રતાક્રમ આપી મોડેલ શાળાઓમા અપગ્રેડ કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષકો પણ ઉપરોક્ત તમામ બાબતોથી વાકેફ થાય એ  અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. શરૂઆત બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ ઇન્ચાર્જ સી.આર.સી કિરીટભાઈ દ્વારા   સરસ મજાની વાર્તાથી શરૂઆત કરી. જેમાં આબોહવા પરિવર્તન વિશેની વાતો કરી. આજના સમયમાં આબોહવા ગમે તે પ્રમાણમાં અલગ અલગ રીતે વર્તાઈ રહી છે જેના ક...

Navsari:મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ મુલાકાત લીધી :

  Navsari:મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ મુલાકાત લીધી : નવસારીઃ શુક્રવારઃ નવસારી જિલ્લા કલેકટર શ્રી ક્ષિપ્રા આગ્રેએ ઉપરોક્ત શબ્દો મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની મુલાકાત લીધી હતી. ગુરુકુલ ના શિક્ષણ બાદ સમાજમાં સ્ત્રી પુરુષની સમાનતા સાથે ભારતના ગૌરવ સાથે વિશિષ્ટ જીવન પ્રસાર કરો તેવી વાત જણાવી હતી. ગુરુકુલ ના બ્રહ્મચારીઓએ ગાયત્રી મંત્ર સાથે તમામ અધિકારીશ્રીઓનું સ્વાગત કર્યું હતું. કલેકટરશ્રીએ શાળાની મુલાકાત લઈને આનંદ વ્યકત કર્યો હતો. શાળાએ ભવિષ્યલક્ષી શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને ભવિષ્યના સમરૂપ સમાજ માટે તૈયાર કરશે એની અપેક્ષા રાખું છું. શાળાની મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી ડો.જનમ ઠાકોર, નવસારી ગ્રામ્ય મામલતદાર શ્રી પ્રશાંતભાઈ ગામીત, તાલુકા વિકાસ અધિકારી શ્રી ભુપેન્દ્રભાઈ રાઠોડ અને નવસારી જિલ્લાના જુદા જુદા વિભાગના અધિકારીઓ ગુરુકુલમાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત .ગુરુકુળ સભાના પ્રમુખશ્રી દીપકભાઈ પટેલ, સહમંત્રી નરેન્દ્રસિંહ ઠાકોર, ટ્રસ્ટી અમિતભાઈ પટેલ અને સહ કેમ્પસ ડાયરેક્ટર સુરેશભાઈ રત્નાણીએ નવસારી સમાહર્તાનું અભિવાદન કર્યું હતું. ચાલુ વર્...

Khergam: જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ 2024માં બહેજ પ્રાથમિક શાળાની દીકરી ઉર્વી ખેરગામ તાલુકામાં પ્રથમ અને નવસારી જિલ્લામાં પાંચમા ક્રમાંકે. જ્યારે ધોરણ -૫ CET પરીક્ષામાં 19માંથી 10 બાળકોએ મેરીટમાં સ્થાન મેળવ્યું.

 Khergam: જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ 2024માં બહેજ પ્રાથમિક શાળાની દીકરી ઉર્વી ખેરગામ તાલુકામાં પ્રથમ અને નવસારી જિલ્લામાં પાંચમા ક્રમાંકે. જ્યારે ધોરણ -૫ CET પરીક્ષામાં 19માંથી 10 બાળકોએ મેરીટમાં સ્થાન મેળવ્યું.