Skip to main content

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી.

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના રજવાડી ગામ લિંગા સ્થિત પ્રયોશા પ્રતિસ્ઠાન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની મુલાકાતે મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

  ડાંગ જિલ્લાના આહવા તાલુકાના રજવાડી ગામ લિંગા સ્થિત પ્રયોશા પ્રતિસ્ઠાન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની મુલાકાતે મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા


લેપટોપ અને ટેબ્લેટ જેવા આધુનિક વિજાણુ યંત્રો વિદ્યાર્થીઓને દુનિયા સાથે જ્ઞાન અને માહિતીના આદાન પ્રદાન માટે ઉપયોગી : - મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના રજવાડી ગામ લિંગા સ્થિત પ્રયોશા પ્રતિસ્ઠાન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની મુલાકાતે મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૨: ડાંગ જિલ્લાના આહવા તાલુકાના રજવાડી ગામ લિંગા સ્થિત, પ્રયોશા પ્રતિસ્ઠાન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને લેપટોપ અને ટેબ્લેટ જેવા આધુનિક વિજાણુ યંત્રો, તેમને દુનિયા સાથે જ્ઞાન અને માહિતીના આદાન પ્રદાન માટે ઉપયોગી થશે તેમ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું.

ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા મંત્રીશ્રીએ લિંગા શાળાના બાળકોને અદ્યતન સાધનો અર્પણ કરતા, ટેકનોલોજીના સથવારે પોતાની ઉચ્ચ કારકિર્દીના સ્વપ્નને પૂર્ણ કરવાનું પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું.

દંડકારણ્યની પાવન ભૂમિ પર નિષ્કામ કર્મયોગ કરી રહેલા શ્રી પી.પી.સ્વામીજીના પ્રયાસોની સરાહના કરતા મંત્રીશ્રીએ, કર્મફળનો ત્યાગ કરીને જંગલમાં સેવાની ધૂણી ધખાવતા સ્વામીજીના સ્વપ્નની પૂર્તિ માટે, ફૂલ નહિ તો ફૂલની પાંદડી રૂપે અંગત રીતે ₹ ૫૧ હજારના સહયોગની રાશી જાહેર કરી હતી. સાચા અર્થમાં શિક્ષણનો ઉદય તો હવે થઈ રહ્યો છે તેમ જણાવતા મંત્રીશ્રીએ નમો લક્ષ્મી, અને નમો સરસ્વતી જેવી શૈક્ષણિક યોજનાઓ, વિદ્યાર્થીઓની ભાવિ કારકિર્દી માટે ખૂબ ફળદાયી નિવડશે તેમ કહ્યું હતું. અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં શિક્ષણ અને સંસ્કારના બીજનું વાવેતર કરતા સ્વામીજી, અને તેમની સંસ્થાના સેવાભાવી કાર્યકરોને મંત્રીશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે, પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત લિંગાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ IIT અને IIMS જેવી દેશની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટેની સમયબદ્ધ તૈયારીઓ કરી રહ્યા છે. માલેગામની પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થાનો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અવિરાજ ચૌધરી, હાલમાં IIT દિલ્હી ખાતે ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો છે. ત્યારે અન્ય વિદ્યાર્થીઓમાં રહેલી ક્ષમતાને પિછાણી, બીજા બાળકો પણ અવિરાજના નકશે કદમ પર ચાલીને, ઉચ્ચ કારકિર્દી ઘડે તેવા સંસ્થા સ્થાપક શ્રી પી.પી.સ્વામીજીના પ્રયાસો રહ્યા છે.

લિંગા ગામે ઝરમર ઝરમર વરસાદી માહોલ વચ્ચે મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વિદ્યાર્થીઓને, ઉચ્ચ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી પોતાનુ, પોતાના પરિવારનું, અને સંસ્થાનું નામ રોશન કરવાના શુભાષિસ પાઠવ્યા હતા. શિક્ષણના પવિત્ર કાર્યમાં યોગદાન આપનાર દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓની સેવા ભાવનાને પણ મંત્રીશ્રીએ બિરદાવી હતી.

શ્રી પી.પી.સ્વામીજીએ પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ડાંગ સાથે જૂનો નાતો ધરાવતા મંત્રીશ્રીએ, ડાંગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. ટ્રસ્ટને પણ શરૂઆતથી જ માર્ગદર્શન આપતા મંત્રીશ્રીએ, ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને રાજ્યના શિક્ષણને વધુ સરળ બનાવવાના નિર્ણયો લઈને, વિદ્યાર્થીઓની ઉચ્ચ કારકિર્દીનો માર્ગ મોકળો કર્યો છે, તેમ જણાવ્યું હતું. સ્વામીજીએ સંસ્થાની પ્રગતિનો ચિતાર પણ આ વેળા આપ્યો હતો.

મંત્રીશ્રીની આ મુલાકાત વેળા સંસ્થાના ટ્રસ્ટી શ્રી સવજીભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી કરશનભાઈ ધામેલીયા, કાર્યકરો, કર્મચારી અને શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ સંસ્થાના વિવિધ વર્ગ ખંડો, છાત્ર નિવાસ, પ્રસાદાલય, કોમ્પ્યુટર લેબ સહિતની ઉપલબ્ધ સેવા સુવિધાઓની જાત મુલાકાત લઈ, ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


લેપટોપ અને ટેબ્લેટ જેવા આધુનિક વિજાણુ યંત્રો વિદ્યાર્થીઓને દુનિયા સાથે જ્ઞાન અને માહિતીના આદાન પ્રદાન માટે ઉપયોગી : -...

Posted by Info Dang GoG on Friday, July 12, 2024

Comments

Popular posts from this blog

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.

  Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 15-07- 2024 અને 16-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં તમામ આચાર્યશ્રીની  દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. સરકારશ્રીની  નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની તમામ શાળાઓમા સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણમાં ગુણવત્તા, સ્માર્ટ વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પુટર લેબ, સાયન્સ લેબ, ગ્રીન શાળાઓ, હરિયાળી શાળા તેમજ જળ  જંગલ અને જમીનના સંવર્ધન બાબતે તથા શાળાની  ભૌતિક સુવિધાઓને અગ્રતાક્રમ આપી મોડેલ શાળાઓમા અપગ્રેડ કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષકો પણ ઉપરોક્ત તમામ બાબતોથી વાકેફ થાય એ  અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. શરૂઆત બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ ઇન્ચાર્જ સી.આર.સી કિરીટભાઈ દ્વારા   સરસ મજાની વાર્તાથી શરૂઆત કરી. જેમાં આબોહવા પરિવર્તન વિશેની વાતો કરી. આજના સમયમાં આબોહવા ગમે તે પ્રમાણમાં અલગ અલગ રીતે વર્તાઈ રહી છે જેના ક...

Navsari:મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ મુલાકાત લીધી :

  Navsari:મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ મુલાકાત લીધી : નવસારીઃ શુક્રવારઃ નવસારી જિલ્લા કલેકટર શ્રી ક્ષિપ્રા આગ્રેએ ઉપરોક્ત શબ્દો મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની મુલાકાત લીધી હતી. ગુરુકુલ ના શિક્ષણ બાદ સમાજમાં સ્ત્રી પુરુષની સમાનતા સાથે ભારતના ગૌરવ સાથે વિશિષ્ટ જીવન પ્રસાર કરો તેવી વાત જણાવી હતી. ગુરુકુલ ના બ્રહ્મચારીઓએ ગાયત્રી મંત્ર સાથે તમામ અધિકારીશ્રીઓનું સ્વાગત કર્યું હતું. કલેકટરશ્રીએ શાળાની મુલાકાત લઈને આનંદ વ્યકત કર્યો હતો. શાળાએ ભવિષ્યલક્ષી શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને ભવિષ્યના સમરૂપ સમાજ માટે તૈયાર કરશે એની અપેક્ષા રાખું છું. શાળાની મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી ડો.જનમ ઠાકોર, નવસારી ગ્રામ્ય મામલતદાર શ્રી પ્રશાંતભાઈ ગામીત, તાલુકા વિકાસ અધિકારી શ્રી ભુપેન્દ્રભાઈ રાઠોડ અને નવસારી જિલ્લાના જુદા જુદા વિભાગના અધિકારીઓ ગુરુકુલમાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત .ગુરુકુળ સભાના પ્રમુખશ્રી દીપકભાઈ પટેલ, સહમંત્રી નરેન્દ્રસિંહ ઠાકોર, ટ્રસ્ટી અમિતભાઈ પટેલ અને સહ કેમ્પસ ડાયરેક્ટર સુરેશભાઈ રત્નાણીએ નવસારી સમાહર્તાનું અભિવાદન કર્યું હતું. ચાલુ વર્...

Khergam: જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ 2024માં બહેજ પ્રાથમિક શાળાની દીકરી ઉર્વી ખેરગામ તાલુકામાં પ્રથમ અને નવસારી જિલ્લામાં પાંચમા ક્રમાંકે. જ્યારે ધોરણ -૫ CET પરીક્ષામાં 19માંથી 10 બાળકોએ મેરીટમાં સ્થાન મેળવ્યું.

 Khergam: જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ 2024માં બહેજ પ્રાથમિક શાળાની દીકરી ઉર્વી ખેરગામ તાલુકામાં પ્રથમ અને નવસારી જિલ્લામાં પાંચમા ક્રમાંકે. જ્યારે ધોરણ -૫ CET પરીક્ષામાં 19માંથી 10 બાળકોએ મેરીટમાં સ્થાન મેળવ્યું.