Skip to main content

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી.

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના રજવાડી ગામ લિંગા સ્થિત પ્રયોશા પ્રતિસ્ઠાન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની મુલાકાતે મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

  ડાંગ જિલ્લાના આહવા તાલુકાના રજવાડી ગામ લિંગા સ્થિત પ્રયોશા પ્રતિસ્ઠાન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની મુલાકાતે મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા


લેપટોપ અને ટેબ્લેટ જેવા આધુનિક વિજાણુ યંત્રો વિદ્યાર્થીઓને દુનિયા સાથે જ્ઞાન અને માહિતીના આદાન પ્રદાન માટે ઉપયોગી : - મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના રજવાડી ગામ લિંગા સ્થિત પ્રયોશા પ્રતિસ્ઠાન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની મુલાકાતે મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૨: ડાંગ જિલ્લાના આહવા તાલુકાના રજવાડી ગામ લિંગા સ્થિત, પ્રયોશા પ્રતિસ્ઠાન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને લેપટોપ અને ટેબ્લેટ જેવા આધુનિક વિજાણુ યંત્રો, તેમને દુનિયા સાથે જ્ઞાન અને માહિતીના આદાન પ્રદાન માટે ઉપયોગી થશે તેમ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું.

ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા મંત્રીશ્રીએ લિંગા શાળાના બાળકોને અદ્યતન સાધનો અર્પણ કરતા, ટેકનોલોજીના સથવારે પોતાની ઉચ્ચ કારકિર્દીના સ્વપ્નને પૂર્ણ કરવાનું પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું.

દંડકારણ્યની પાવન ભૂમિ પર નિષ્કામ કર્મયોગ કરી રહેલા શ્રી પી.પી.સ્વામીજીના પ્રયાસોની સરાહના કરતા મંત્રીશ્રીએ, કર્મફળનો ત્યાગ કરીને જંગલમાં સેવાની ધૂણી ધખાવતા સ્વામીજીના સ્વપ્નની પૂર્તિ માટે, ફૂલ નહિ તો ફૂલની પાંદડી રૂપે અંગત રીતે ₹ ૫૧ હજારના સહયોગની રાશી જાહેર કરી હતી. સાચા અર્થમાં શિક્ષણનો ઉદય તો હવે થઈ રહ્યો છે તેમ જણાવતા મંત્રીશ્રીએ નમો લક્ષ્મી, અને નમો સરસ્વતી જેવી શૈક્ષણિક યોજનાઓ, વિદ્યાર્થીઓની ભાવિ કારકિર્દી માટે ખૂબ ફળદાયી નિવડશે તેમ કહ્યું હતું. અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં શિક્ષણ અને સંસ્કારના બીજનું વાવેતર કરતા સ્વામીજી, અને તેમની સંસ્થાના સેવાભાવી કાર્યકરોને મંત્રીશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે, પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત લિંગાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ IIT અને IIMS જેવી દેશની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટેની સમયબદ્ધ તૈયારીઓ કરી રહ્યા છે. માલેગામની પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થાનો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અવિરાજ ચૌધરી, હાલમાં IIT દિલ્હી ખાતે ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો છે. ત્યારે અન્ય વિદ્યાર્થીઓમાં રહેલી ક્ષમતાને પિછાણી, બીજા બાળકો પણ અવિરાજના નકશે કદમ પર ચાલીને, ઉચ્ચ કારકિર્દી ઘડે તેવા સંસ્થા સ્થાપક શ્રી પી.પી.સ્વામીજીના પ્રયાસો રહ્યા છે.

લિંગા ગામે ઝરમર ઝરમર વરસાદી માહોલ વચ્ચે મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વિદ્યાર્થીઓને, ઉચ્ચ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી પોતાનુ, પોતાના પરિવારનું, અને સંસ્થાનું નામ રોશન કરવાના શુભાષિસ પાઠવ્યા હતા. શિક્ષણના પવિત્ર કાર્યમાં યોગદાન આપનાર દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓની સેવા ભાવનાને પણ મંત્રીશ્રીએ બિરદાવી હતી.

શ્રી પી.પી.સ્વામીજીએ પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ડાંગ સાથે જૂનો નાતો ધરાવતા મંત્રીશ્રીએ, ડાંગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. ટ્રસ્ટને પણ શરૂઆતથી જ માર્ગદર્શન આપતા મંત્રીશ્રીએ, ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને રાજ્યના શિક્ષણને વધુ સરળ બનાવવાના નિર્ણયો લઈને, વિદ્યાર્થીઓની ઉચ્ચ કારકિર્દીનો માર્ગ મોકળો કર્યો છે, તેમ જણાવ્યું હતું. સ્વામીજીએ સંસ્થાની પ્રગતિનો ચિતાર પણ આ વેળા આપ્યો હતો.

મંત્રીશ્રીની આ મુલાકાત વેળા સંસ્થાના ટ્રસ્ટી શ્રી સવજીભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી કરશનભાઈ ધામેલીયા, કાર્યકરો, કર્મચારી અને શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ સંસ્થાના વિવિધ વર્ગ ખંડો, છાત્ર નિવાસ, પ્રસાદાલય, કોમ્પ્યુટર લેબ સહિતની ઉપલબ્ધ સેવા સુવિધાઓની જાત મુલાકાત લઈ, ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


લેપટોપ અને ટેબ્લેટ જેવા આધુનિક વિજાણુ યંત્રો વિદ્યાર્થીઓને દુનિયા સાથે જ્ઞાન અને માહિતીના આદાન પ્રદાન માટે ઉપયોગી : -...

Posted by Info Dang GoG on Friday, July 12, 2024

Comments

Popular posts from this blog

Khergam news: વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

                        Khergam news: વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : ૦૫-૦૪-૨૦૨૪નાં દિને વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક શિક્ષકમિત્રો એ ધોરણ 8 ના બાળકો ને આશીર્વચન આપ્યા તેમજ ધોરણ 8 દીકરી ઊર્જા પટેલ અને માનસી પટેલે ધોરણ 1થી 8 સુધી ના અભ્યાસ કરેલ તેનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ ધોરણ 8 માં વર્ગ શિક્ષક શ્રી ધર્મેશ પટેલ અને ગોવિંદભાઈ પટેલ બાળકોને ફૂલ અને પેન આપી સન્માન કર્યું હતું.તેમજ આ ધોરણ 8 બાળકો તરફથી સ્પીચ ટેબલ સપ્રેમ ભેટ આપવામાં આવ્યું હતું.અંતે શાળાના મુખ્ય શિક્ષક કિરીટભાઈ એ બાળકો આગળ અભ્યાસ કરી પોતાના જીવન પ્રગતિના પંથે આગળ વધે એ માટે શુભ કામના પાઠવી હતી અને સમગ્ર શાળા પરિવારનો આભાર માન્યો હતો....અંતે શાળાના તમામ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો.

Navsari District shala Pvaveshotsav 2024 : Navsari, Jalalpor, Gandevi, Chikhali,Khergam, Vansda

 Navsari District shala Pvaveshotsav 2024 : Navsari, Jalalpor, Gandevi, Chikhali,Khergam, Vansda દર વર્ષની જેમ આજે નાંદરખા ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન આ વર્ષે(સતત ૯મું વર્ષે) પણ મારા તરફથી... Posted by  Utkarsh Patel  on  Wednesday, June 26, 2024 આજે કાંગવઈ ગામે કાંગવઈ મુખ્ય શાળા, દલિયા ફળીયા પ્રાથમિક શાળા, કોકટ ફળીયા પ્રાથમિક શાળા, ખાખરી ફળીયા પ્રાથમિક શાળા તેમજ... Posted by  Jay Dhodiya  on  Wednesday, June 26, 2024 વિદ્યાર્થીઓના જીવનમાં વિદ્યાના શ્રીગણેશ એટલે "શાળા પ્રવેશોત્સવ" વિશ્વસ્તરીય શિક્ષણ મળે, ગુજરાતનું દરેક બાળક ભણે, ... Posted by  Jay Dhodiya  on  Thursday, June 27, 2024 આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબે ગુજરાતને સાક્ષર રાજ્ય બનાવવા માટે અને ખાસ કરીને દિકરીઓને સાક્ષર બનાવવા માટે... Posted by  Naresh Patel  on  Thursday, June 27, 2024 આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબે ગુજરાતને સાક્ષર રાજ્ય બનાવવા માટે અને ખાસ કરીને દિકરીઓને સાક્ષર બનાવવા માટે... Posted by  Nares...

Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

                         Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તારીખ:૨૫-૦૩-૨૦૨૪નાં સોમવારના દિને ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ ટાણે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.  જેમાં સમસ્ત વેણફળિયાનાં યુવાનોની કુલ છ ટીમોએ ભાગ લીધો હતો.જેમાં જોહાર ઈલેવન, નિકુંજ ઈલેવન, સંદિપ ઈલેવન, વિક્કી ઈલેવન, નહેર ઈલેવન, અને અજય ઈલેવનનો સમાવેશ થાય છે.   જેમાં વિક્કી ઈલેવન અને નહેર ઈલેવન વચ્ચે ફાઇનલ મુકાબલામાં વિક્કી ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે નહેર ટીમ રનર્સ અપ બની હતી. જે ખેલાડીઓ ૧૬ વર્ષથી લઈને ૪૫ વર્ષ સુધીની વય ધરાવે છે. આ ટુર્નામેન્ટનું  આયોજન સતત સાત વર્ષથી થઈ રહ્યું છે. જે વેણ ફળિયાનાં યુવાઓની એકતા અને ભાઈચારાની મિશાલ રજૂ કરે છે.  આ કાર્યક્રમમાં યુવાનો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સતત સાત વર્ષથી કરવામાં આવે છે.  ટ્રોફીનું યોગદાન ઉજ્જવલ પટેલ તરફથી મળ્યું હતું.તેમજ મહાપ્રસાદ માટે આશિષ પટેલ, જયદીપ પટેલ, વિક્કી ...