Skip to main content

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી.

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Dang: ડાંગ જિલ્લાની નિવૃત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને બાકી રહેલ ગ્રેજ્યુઈટીની રકમ ફાળવવામાં આવી.

 Dang: ડાંગ જિલ્લાની નિવૃત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને બાકી રહેલ ગ્રેજ્યુઈટીની રકમ ફાળવવામાં આવી.

ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઈન અને નાયબ મુખ્ય દંડક તથા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની રજુઆતના ફળ સ્વરૂપે ડાંગ જિલ્લાની નિવૃત  આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને બાકી રહેલ રૂ. ૧,૬૮,૨૨૦૦૦/- (એક કરોડ અડસઠ લાખ બાવીસ હજાર) ગ્રેજ્યુઈટીની ગ્રાન્ટ આઈ.સી.ડી.એસ. વિભાગ, ગાંધીનગર દ્વારા ડાંગ જિલ્લાને ફાળવવામા આવી.

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૦: ડાંગ જિલ્લાના નિવૃત થયેલ ૫૦ જેટલી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને, જરૂરી ડોક્યુમેન્ટસના અભાવે મળવાપાત્ર ગ્રેજ્યુઈટીના રકમ ન મળતા, તેમણે જિલ્લા પંચાયત પ્રમુખને રજુઆત કરી હતી.

પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન એસ. ગાઈન દ્વારા બહેનોની આ રજુઆત સાંભળી તાત્કાલિક આઈ.સી.ડી.એસ. શાખાના અધિકારી અને સ્ટાફને બેસાડી, આ પ્રશ્નનો ખુબ ઝડપથી હલ લાવવાના આદેશ આપી આહવા, વઘઈ, અને સુબીર તાલુકા પ્રમાણે બહેનોના ગૃપ બનાવી, જે બહેનો પાસે જુના ડોક્યુમેન્ટ હોય જેવા કે નિમણુંક પત્ર, નિવૃત્તિ પત્ર, કોઈ સરકારી તાલીમ મેળવી હોય તો તેનુ પ્રમાણપત્ર, આવા ડોક્યુમેન્ટ્સના આધારે વેરીફીકેશન કરી, તેઓને ગ્રેજ્યુઈટીની રકમ ચુકવવાનું જણાવવામાં આવ્યું હતું.

 ઉપરાંત જેઓની પાસે આવા કોઈ ડોક્યુમેન્ટ્સ ના હોય, તેઓનુ કોઈ તાલીમનું પ્રમાણપત્ર અથવા તેઓને ચુકવાયેલ પગાર કે રજીસ્ટરમા નોંધ, કે જુનો કચેરી રેકર્ડ તપાસી, વહેલી તકે ગ્રેજ્યુઈટીની રકમ ચુકવવા સૂચના આપી હતી.

ડાંગ જિલ્લામાં કુલ ત્રણ ઘટકો આહવા, વઘઈ, અને સુબીર હેઠળ કુલ ૪૪૧ આંગણવાડીઓ કાર્યરત છે. નિવૃત આંગણવાડી કાર્યકર/તેડાગરને ગ્રેજ્યુઈટી ચુકવણા કરવા જિલ્લાને રૂ. ૪૨,૦૧,૦૦૦/- ની ગ્રાન્ટ મળેલ હતી. જે પૈકી રૂ. ૨૮,૭૧,૩૧૮/- નો ખર્ચ થયેલ હતો. પરંતુ બાકી રહેલ નિવૃત કાર્યકર/તેડાગર બહેનો દ્વારા ડીસેમ્બર-૨૦૨૩ માં પ્રમુખશ્રી, ડાંગ જિલ્લા પંચાયતને રજુઆત કરતા, પ્રમુખશ્રી દ્વારા તાત્કાલિક ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલને લેખીત અને મૌખિક રજુઆત કરી, ડાંગ જિલ્લાની આ બહેનોનો પ્રશ્ન મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, સાપુતારા ખાતે એક કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે પણ, પ્રમુખશ્રી દ્વારા ડાંગ જિલ્લાના આ બહેનોનો પ્રશ્નો તેઓ સમક્ષ રજુ કર્યો હતો.

આમ, નાયબ મુખ્ય દંડકશ્રી અને પ્રમુખશ્રીના ઝડપી પ્રયાસથી, આઈ.સી.ડી.એસ., મહિલા અને બાળ વિકાસની કચેરી-ગાંધીનગર દ્વારા ડાંગ જિલ્લાની બાકી રહેતી ગ્રેજ્યુઈટીની કુલ રકમ રૂ. ૧,૬૮,૨૨૦૦૦/- (એક કરોડ અડસઠ લાખ બાવીસ હજાર) ની ગ્રાન્ટ માર્ચ-૨૦૨૪ માં ફાળવી આપી છે.  

આહવા તાલુકાની ૬, સુબીર તાલુકાની ૧૫, વઘઈ તાલુકાની ૧૪, આમ જિલ્લાની કુલ-૩૫ બહેનો કે જેઓના ડોક્યુમેન્ટ ક્લીયર હતા, તેઓને ગ્રેજ્યુઈટીની રકમનુ ચુકવણુ પણ કરવામાં આવેલ છે. પરંતુ ૧૯૮૦ થી ૧૯૯૦ ના દાયકામા નિવૃત થયેલા બહેનો પાસે નિમણુંક કે નિવૃતિ આદેશ કે અન્ય ડોક્યુમેન્ટ ન હોવાના કારણે, તેઓને ગ્રેજ્યુઈટીની રકમ ચુકવણામાં વિલંબ થતો હોય, તેઓએ પ્રમુખશ્રી, ડાંગ જિલ્લા પંચાયતને રજુઆત કરતા, શ્રીમતી નિર્મળાબેન ગાઈન, આઈ.સી.ડી.એસ. અધ્યક્ષ શ્રીમતી સારુબેન વળવી દ્વારા અધિકારી અને સ્ટાફની તાત્કાલિક મીટીંગ બોલાવી, હાજર રહેલી પ૦ જેટલી બહેનો તથા બાકી રહેલ અન્ય બહેનોના પ્રમાણપત્ર, ચુકવાયેલ પગાર કે કેચેરી રેકર્ડ જેવી જુની વિગતો મેળવીને વહેલી તકે ગ્રેજ્યુઈટીની રકમ ચુકવવામાં આવે તેવી કાર્યવાહી કરવા આદેશ અને સૂચના આપવામા આવી હતી.

તદ્ઉપરાંત આ બાબતે વડી કચેરી, ગાંધીનગર કક્ષાએ કોઈ પ્રશ્નનો હલ કરવાના હોય તો તે પણ ધ્યાને મુકવા જણાવવામાં આવ્યું હતું.

આમ, રજુઆત લઈને આવેલ તમામ બહેનોએ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની ઝડપી કામગીરી અને ગૂંચવાયેલા પ્રશ્ન જલ્દીથી હલ થાય, અને તમામ બહેનોને લાભ થાય તે માટેનો હકારાત્મક અભિગમ જોતા સૌએ પ્રમુખશ્રી અને અધ્યક્ષશ્રી આઈ.સી.ડી.એસ.નો આભાર વ્યક્ત કર્યો છે.

-

ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઈન અને નાયબ મુખ્ય દંડક તથા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની રજુઆતના ફળ...

Posted by Info Dang GoG on Thursday, June 20, 2024

Comments

Popular posts from this blog

Dharampur |Valsad: ધરમપરના રાજચંદ્ર આશ્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાની ત્રિ દિવસીય નિવાસી શિબિર યોજાઈ

  Dharampur |Valsad: ધરમપરના રાજચંદ્ર આશ્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાની ત્રિ દિવસીય નિવાસી શિબિર યોજાઈ  રાજ્યભરના ૧૦૦૦ થી વધુ યોગ ટ્રેનર અને યોગ કોચએ યોગ પ્રશિક્ષણ મેળવ્યું  અત્યાર સુધી એક લાખ ઉપરાંત યોગ શિક્ષકોએ પ્રશિક્ષણ મેળવ્યુ, આગામી દિવસોમાં ૧૦ લાખ યોગ પ્રચારક અને યોગ શિક્ષકો તૈયાર કરાશે  કેન્સર, ડાયાબિટીસ, સ્થૂળતા, માનસિક તનાવ, હતાશા અને અનુવાંશિક રોગનો સચોટ ઉપાય યોગનો માર્ગ છેઃ બોર્ડ ચેરમેન શીશપાલજી  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ઓગસ્ટ  ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે રાજયના યોગ ટ્રેનરો અને યોગ કોચની ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી. રાજ્યભરના ૧૦૦૦ થી વધુ યોગ ટ્રેનર અને યોગ કોચ એ આ શિબિરનો લાભ લઈ યોગનું શિક્ષણ મેળવ્યું હતું. આ શિબિરમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ અને ધાંગધ્રા મતવિસ્તારના ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવકશ્રી શીશપાલજીએ જણાવ્યું કે, યોગ સાધના અને મેડીટેશન દ્વારા હકારાત્મક વિચારો સાથે તમામ ...

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.

  Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 15-07- 2024 અને 16-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં તમામ આચાર્યશ્રીની  દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. સરકારશ્રીની  નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની તમામ શાળાઓમા સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણમાં ગુણવત્તા, સ્માર્ટ વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પુટર લેબ, સાયન્સ લેબ, ગ્રીન શાળાઓ, હરિયાળી શાળા તેમજ જળ  જંગલ અને જમીનના સંવર્ધન બાબતે તથા શાળાની  ભૌતિક સુવિધાઓને અગ્રતાક્રમ આપી મોડેલ શાળાઓમા અપગ્રેડ કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષકો પણ ઉપરોક્ત તમામ બાબતોથી વાકેફ થાય એ  અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. શરૂઆત બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ ઇન્ચાર્જ સી.આર.સી કિરીટભાઈ દ્વારા   સરસ મજાની વાર્તાથી શરૂઆત કરી. જેમાં આબોહવા પરિવર્તન વિશેની વાતો કરી. આજના સમયમાં આબોહવા ગમે તે પ્રમાણમાં અલગ અલગ રીતે વર્તાઈ રહી છે જેના ક...

આદર્શ નિવાસી શાળામાં વર્ષ-૨૦૨૪-૨૦૨૫માં ધોરણ-૯માં પ્રવેશ મેળવવા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટેની તારીખ જાહેર.

       આદર્શ નિવાસી શાળામાં વર્ષ-૨૦૨૪-૨૦૨૫માં ધોરણ-૯માં પ્રવેશ મેળવવા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટેની તારીખ જાહેર.  આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમાર-કન્યા-મિશ્ર) માં ધોરણ-૯ માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા રહેશે. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ :-  તા. ૨૧/૦૩/૨૦૨૪  (બપોરે ૧૨.૦૦ કલાક) થી તા.  ૦૫/૦૪/૨૦૨૪  (સાંજે- ૬.૦૦ કલાક) ઓનલાઇન ફોર્મ ભરવા માટે official website    https://ans.orpgujarat.com ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી સૂચનાઓ:  હાલ વિધાર્થી જે તે શાળામાં ધોરણ -૮ માં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રી પાસેથી વિધાર્થીનો ૧૮ આંકડાનો (Student U-DISE Number) મેળવીને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. વિધાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે મનપસંદ શાળા અને પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા. • વિધાર્થી એ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી (Size-20 KB ) jpg format )નો નમૂનો સાથે રાખવો જે અપલોડ કરવાનો રહેશે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તે ફોર્મ ની પ્રિન્ટ ડાઉનલોડ કરીને પોતાની પાસે સાચવીને રાખવાની રહેશે. ઓનલાઈન ફોર...